35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

કરણી સેનાના વડાની કરપીણ હત્યા.. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની છેલ્લી 10 મિનિટની કહાની


રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે સંકળાયેલા કેટલાક અજાણ્યા આરોપીઓએ ગોગામેડીના ઘરે જ અંજામ આપ્યો હતો. આરોપી પહેલા સુખદેવ સાથે વાત કરતો રહ્યો અને પછી અચાનક બંનેએ સુખદેવ પર ગોળીબાર કર્યો. અને માત્ર 10 મિનિટમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

જયપુર પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારના દિવસે, બે બદમાશોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો અને ત્યાંથી ભાગી ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના સમયે ત્યાં હાજર ગોગામેડીનો ગાર્ડ અજીત સિંહ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ગોગામેડીના ઘરે જે યુવકો બદમાશોને લઈ ગયો હતો તેનું પણ ફાયરિંગમાં મોત થયું હતું. તેની ઓળખ નવીન શેખાવત તરીકે થઈ છે. ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી સ્વીકારતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

નવીનને બદમાશોએ ગોળી મારી હતી

બનાવની જાણ થતાંજ શ્યામ નગર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ગોગામેડીની સંસ્થા સાથે જોડાયેલા લોકોએ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. તેઓએ પીડિતોને ન્યાયની માંગ સાથે માનસરોવરમાં રસ્તા રોક્યા છે. બદમાશોની ગોળી વાગતાં જે નવીનનું મોત થયું હતું એ જ નવીન જ બદમાશોને ગોગામેડીના ઘરે લઈ ગયો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજ

જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફના જણાવ્યા અનુસાર, મૃતક નવીન સિંહ શક્તિવત શાહપુરાનો રહેવાસી હતો. નવીન જયપુરમાં કપડાંનો બિઝનેસ કરતો હતો. પોલીસ પાસે તમામ આરોપીઓ અને ઘટનાના સીસીટીવી ફૂટેજ છે. ઘટનાસ્થળેથી નાસી છૂટેલા બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે.

હુમલાખોરોની કાર મળી

આરોપી એક SUV કારમાં આવ્યો હતો, જેને પોલીસે ગોગામેડીના ઘરની બહારથી રિકવર કર્યો છે. તે કારમાંથી એક થેલી, દારૂની બોટલ અને ખાલી ગ્લાસ મળી આવ્યા હતા. ઘટના બાદ એફએસએલ ટીમની મદદથી ફાયરિંગના સ્થળ એટલે કે ઘટના સ્થળેથી તમામ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

ડીજીપીએ પોલીસને એલર્ટ કરી

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ DGP ઉમેશ મિશ્રાએ રાજ્યભરના પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમણે હત્યારાઓને પકડવા માટે બેરિકેડિંગ કરવાની સૂચના પણ આપી છે. વિશેષ તકેદારીની સાથે સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. પોલીસ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!