વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે. આ બધાં વચ્ચે ફ્રાન્સ જઈ રહેલા પીએમ મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું અને ત્યાં લગભગ 46 મિનિટ સુધી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે ઇસ્લામાબાદમાં ચકચાર મચી ગયો હતો. પાકિસ્તાની મીડિયા ARY ન્યૂઝના અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન સૂત્રોએ પણ પુષ્ટિ કરી કે પેરિસની યાત્રા દરમિયાન વડા પ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના એરોસ્પેસનો ઉપયોગ હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો કર્યો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “INDIA 1” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ માર્ગે પરથી 46 મિનિટ સુધી પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મંજૂરી અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ભારતીય વડા પ્રધાનના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય આની પહેલા ઓગસ્ટ 2023માં પણ પોલેન્ડથી દિલ્હીની મુસાફરી
દરમિયાન આવી ઘટના બની હતી
પીએમ મોદીના વિમાને નવી દિલ્હીથી ઉડાન ભર્યા બાદ નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ 11 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું હતું. આ ઉપરાંત PM મોદી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ ગયા હતા, ત્યારે પણ તેમનું વિમાન પાકિસ્તાની હવાઈ માર્ગથી પસાર થયું હતું.