26 C
Ahmedabad
Thursday, March 20, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભારતીય ફાસ્ટ બોલરને અચાનક શું થયું નિવૃત્તિની કેમ કરી જાહેરાત ?


ભારતીય ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ગુરુવારે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે 2018-19માં ત્રણ વન-ડે અને ટી20 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરનાર પંજાબના 34 વર્ષીય ફાસ્ટ બોલર કૌલે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સિદ્ધાર્થ કૌલે શું કહ્યું:-

કૌલે ‘X’ પર લખ્યું, “હવે સમય આવી ગયો છે કે હું ભારતમાં મારી કારકિર્દી ખતમ કરી દઉં અને મારી નિવૃત્તિની જાહેરાત કરું.” સિદ્ધાર્થ કૌલ 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો. આ ટીમમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પણ સામેલ હતા. જોકે તેમણે વિદેશી લીગમાં રમવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

તેમણે વધુમાં કહ્યું “હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મારા માટે જે માર્ગ મોકળો કર્યો છે, તેમના અનંત સમર્થન માટે ચાહકો, મારા માતા-પિતા અને પરિવારનો તેઓએ મને બતાવેલા બલિદાન અને વિશ્વાસ માટે, ખાસ કરીને કૌલે બીસીસીઆઈને કહ્યું, “મારા સાથી ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં યાદો અને મિત્રતા માટે, ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને 2008નો અંડર-19 વર્લ્ડ કપ જીતવા અને 2018માં મારા T20 ઈન્ટરનેશનલ અને ODIમાં પદાર્પણ કરવાના સપનાને સાકાર કરવા માટે.”

સિદ્ધાર્થ કૌલે પંજાબ માટે 88 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને 297 વિકેટ લીધી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે 111 લિસ્ટ A મેચમાં 199 વિકેટ અને 145 T20 મેચોમાં 182 વિકેટ ઝડપી હતી. કૌલ વિજય હજારે ટ્રોફીમાં 155 વિકેટ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 120 વિકેટ સાથે સૌથી સફળ બોલર છે. તેણે આ મહિનાની શરૂઆતમાં હરિયાણા સામે રણજી ટ્રોફીમાં તેની છેલ્લી સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ રમી હતી. તેમણે અચાનક સંન્યાસની જાહેરાત કરતા તેમના ચાહકો પણ અનેક સવાલ કરી રહ્યા છે. કે, શા માટ તેમણે આવો નિર્ણય લીધો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!