એવું કહેવાય છે પ્રેમની કોઈ હદ નથી હતી. પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે. જેના પરથી સાબિત થાય છે. પ્રેમમાં પણ હોય છે અને નફરત પણ હોય છે. અને એવું જ કંઈક બન્યું છે. બિહારના નાલંદામાં અંહી એક વૃદ્ધને આશિકીની કિંમત જીવ આપીને ચૂકવવી પડી છે. માહિતી અનુસાર 32 વર્ષની વિધવાનો 4 વૃદ્ધો સાથે પ્રેમસંબંધમાં હતો. આ દરમિયાન પાંચમો શખ્સ આ યુવતીની નજીક આવવા લાગ્યો ત્યારે ચારેય વૃદ્ધોએ મળીને તેની હત્યા કરી નાખી. બનાવની જાણ થતા પોલીસે જ્યારે મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો ન માત્ર હત્યાનો ભેદ ઉકેલાયો પરંતુ એવી વાત સામે આવી કે, બધા ચોંકી ઉઠ્યા હતા.
હત્યા એક હત્યારા ચાર:-
મળતી માહિતી અનુસાર સમગ્ર મામલો બલવાપુર ગામનો છે. 32 વર્ષની એક વિધવા મહિલા ચાની દુકાન ચલાવતી હતી. તેનો એક નહીં પરંતુ 4-4 વૃદ્ધો સાથે પ્રેમસંબંધ હતો. પોલીસનું કહેવું છે કે, આ કહાનીમાં 70 વર્ષીય તૃપિત શર્માની એન્ટ્રી થઈ. શર્માએ બધાની જેમ મહિલાને પ્રેમસંબંધ બાંધવા અંગે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ વાતથી મહિલાના પૂર્વ પ્રેમીઓ નારાજ થઈ ગયા. બિહાર શરીફના ડીએસપી ડો શિબ્લી નોમાનીનું કહેવું છે કે મહિલા સાથે મળીને બધાએ શર્માની હત્યા કરવાની યોજના બનાવી.
કેવી રીતે ઉકેલાયો ભેદ:-
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ ચારેય સાથે મળીને તૃપિત શર્માને 19 ઓક્ટોબરના રોજ સૂમસામ જગ્યાએ મળવા બોલાવ્યા. ત્યારબાદ તેને માર મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ લાશને નવા બનેલા સામુદાયિક ભવનની પાણીની ટાંકીમાં ફેંકી દીધી. આ દરમિયાન વૃદ્ધને ઓળખ ન થઈ શકે તે માટે તેના ચહેરાના પથ્થર વડે કચડી નાખ્યો. જો કે, ઘટનાના બે દિવસ પોલીસને તૃપિતની લાશ મળી હતી.
મોબાઈલથી પકડાયા આરોપી:-
બીજી તરફ તૃપિત શર્માના પુત્ર મિટ્ઠુ કુમારે એ જ દિવસે પિતાની હત્યાની ફરિયાદ અસ્થાવાં પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને જાણકારી મળી કે, મૃતક અસ્થાવાં પોલિટેક્નિક કોલેજની પાસે ચાની દુકાન પર બેઠક હતી. પોલીસને મૃતકનો ફોન મળી રહ્યો અને ટ્રાય કરવા પર તે સ્વીચ ઓફ આવતો હતો. એક મહિના પછી જ્યારે ફોન ઓન થયો ત્યારે નંબર સર્વેલન્સ પર નાખતા જ રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયો. અને પોલીસે આ મામલે તપાસ કરી હત્યારા ચારે વૃદ્ધોને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા.