નસવાડીના વાઘીયા મહુડા ગામનો રહેવાસી જયેશ ઉર્ફે જયુ માતાજીના નામેે ઓળખતા શખ્સો, સ્ત્રીનો પહેરવેશ ધારણ કરી છેલ્લા પાંચ વર્ષથી દુઃખ, દર્દ,અસાધ્ય રોગ, બાધા, નિઃસંતાનને સંતાન પ્રાપ્તી, ધંધો,પતિ પત્નીના ઝઘડા જેવા અનેક દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે. જુવાર વાડીના નામે 3 હજારથી 15 હજારની રકમ વસૂલતો હતો. બાધા અને ટેકના નામે 1 લાખ રૂપિયા પડાવતો હતો. ઢોંગી જયુ માતાજી ખાસ કરીને પીડિત મહિલાઓને આશીર્વાદ આપતી વખતે શરીરના ભાગે હાથ ફેરવી વિકૃત હરકત કરતો હતો.
આ તમામ બાબતોની જાણ ભારત જન વિજ્ઞાન જાથાને થતાં નસવાડી પોલીસને સાથે રાખી જયેશ ઉર્ફે જયુ માતાજીના મંદિરે વાઘીયા મહુડા ખાતે પહોંચી જઈ, પોતાનું દુઃખ નું નિવારણ થાય તેના માટે રાજકોટથી આવેલી મહિલાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા પગમાં કાળો દોરો બાંધીને મારી પીઠ પર હાથ ફેરવાતો હોવાનું જણાય આવ્યું હતું. ત્યાર બાદ નસવાડી પોલીસે જયેશ ઉર્ફે જયુ માતાજીની ધરપકડ કરી ઢોંગી ભૂવાજીની કરતૂતનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.