કવાંટ તાલુકાના હમીરપુરા ગામે આગામી જાન્યુઆરીમાં યોજાનાર 30મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજવાનું છે. ત્યારે તેને લઈને બે દિવસનું ચિંતન શિબિર યોજવામાં આવ્યું હતું. આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તા કસ્તુરીબેન ચૌધરીએ ચિંતન શિબિરમાં ધરતીમાતાનું ગીત રજૂ કર્યું હતું.