19 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગમાં ચાર્જિંગ માટે મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષાઓ બળીને ખાખ


કેવડીયામાં આવેલા અને દુનિયાભરમાં જાણીતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. ઈ-રિક્ષાઓમાં અચાનક આગ લાગી જતા 25થી વધુ ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર સોમવારે બપોરના સમયે ઈલેક્ટ્રીક રિક્ષાઓને કેવડીયા પાસે પાર્કિંગમાં ચાર્જિંગ કરવા માટે મૂકવામાં આવી હતી. દરમિયાન એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ ત્યાં રાખેલી અન્ય રિક્ષાઓમાં જોતજોતામાં આગ ફાટી નિકલી હતી. જેમાં 25થી વધુ રિક્ષાઓ બળી ગઈ હતી. મહત્વનું છે ઈ-રિક્ષા ચાર્જિંગમાં મૂકી હતી તે સમયે આગ લાગી હતી. એક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઈ-રિક્ષાની ગુણવત્તા સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!