સોનગઢ શહેરના મંલગદેવ રોડ પર આવેલી યુનિક ભવનના ટ્રસ્ટીએ આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને 10થી 15 થપ્પડ મારી હતી. જે બાદ વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાની જાણ તેના વાલીને કરતા વાલીએ હલકટ ટ્રસ્ટી સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ થતાંની સાથેજ ટ્રસ્ટી ધર્મેશ જ્ઞાનચંદાની ફરાર થઈ ગયો છે.
વાલીનો આક્ષેપઃ-
આ બનાવમાં વાલીના આક્ષેપ મુજબ હલકટ ટ્રસ્ટીએ વિદ્યાર્થીના ગાલ પર 10થી 15 થપ્પડ મારી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીના ગાલ પર સોજો આવી ગયા છે.
શુ હતી ઘટનાઃ-
23 જાન્યુઆરીએ યુનિક વિદ્યા ભવનમાં વિદ્યાર્થીઓના સ્કૂલ બેગ અને ખિસ્સા ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય એક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મિરાજ મળી આવી હતી. જેથી વર્ગના શિક્ષકે આ વિદ્યાર્થીને ટ્રસ્ટી પાસે મોકલ્યો હતો. તે વિદ્યાર્થીએ ભોગબનનાર વિદ્યાર્થીનું નામ આપતા ટ્રસ્ટી ધર્મેશ જ્ઞાનચંદાનીએ વિદ્યાર્થીને ઓફિસમાં બોલાવી માર માર્યો હતો.
શું માર મારવાનો હક્ક ટ્રસ્ટીને છે ?
એક તરફ ગરીબ મા-બાપ પાસેથી ફીના નામે લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓના મા-બાપ બાળકના સારા ભવિષ્ય માટે મોંઘી ઘાટ સ્કૂલોમાં ભણવતા હોય છે. પરંતુ ક્યારે આ હલકટ ટ્રસ્ટીઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભોગ બનતા હોય છે.
મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. નહીં કે તમારા હાથનો માર ખાવા, ભલે વિદ્યાર્થી પાસેથી તમાકૂ મળી આવ્યું હોય પણ, તમારે એક શાળાના ટ્રસ્ટી તરીકે વિદ્યાર્થીને સમજાવાની જરૂર હતી. આ રીતે વિદ્યાર્થીને માર મારવાનો હક્ક તમને કોણ આપે છે ?
વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવીઃ-
આ બનાવમાં ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ માર મારનાર ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહ્યું કે, સોનગઢ પોલીસ આ ટ્રસ્ટીની ધરપકડ કરી યોગ્ય તપાસ કરશે કે પછી રામ રાજ્ય અને પ્રજા સુખી જોવો ઘાટ ઘડશે ?