39 C
Ahmedabad
Thursday, April 18, 2024

અમે મુજાહિદ્દીન બનાવ્યા, તેઓ આતંકવાદી બન્યા, પેશાવરમાં 97 પોલીસકર્મીઓના મોત બાદ પાકિસ્તાનનો પસ્તાવો !


આતંકવાદી હુમલાને કારણે લોહીલુહાણ થયેલો પાડોશી દેશ પાકિસ્તાન આજે પોતાની ભૂલો માટે પસ્તાવાનું નાટક કરી રહ્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ હવે પાકિસ્તાની શાસકોને ભાન કરાવી રહ્યા છે. રાણા સનાઉલ્લાહે પાકિસ્તાનની સંસદમાં પેશાવરની મસ્જિદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ હુમલામાં 101 લોકો માર્યા ગયા હતા. જેમાંથી 97 પોલીસકર્મીઓ છે.ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ વધવા અને આ સ્તરે પહોંચવા માટે પૂર્વ શાસકોની નીતિઓ જવાબદાર છે. સનાઉલ્લાહે અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે કટ્ટરપંથીઓની લડાઈનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમે મુજાહિદ્દીન બનાવ્યા હતા પરંતુ તેઓ આતંકવાદી બની ગયા છે.

મુજાહિદ્દીન કોણ છેઃ-

જણાવી દઈએ કે 80ના દાયકામાં જ્યારે સોવિયત રશિયાની સેના અફઘાનિસ્તાનમાં આવી હતી ત્યારે પાકિસ્તાને રશિયન સૈનિકો સાથે લડવા માટે મોટી સંખ્યામાં પોતાના યુવાનોને અફઘાનિસ્તાન મોકલ્યા હતા. આ લડવૈયાઓ અફઘાનિસ્તાન વતી રશિયા સામે લડી રહ્યા હતા. તેમને મુજાહિદ્દીન કહેવામાં આવે છે.

17 આરોપીઓની ધરપકડઃ-

આ દરમિયાન, હુમલાના ત્રીજા દિવસે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે તેઓએ 17 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. એજન્સીના અહેવાલ મુજબ, આ ધરપકડ પોલીસ લાઇન વિસ્તારની આસપાસથી કરવામાં આવી છે અને શંકાસ્પદોને તપાસ માટે પૂછપરછ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે

આર્મી ચીફ જનરલનું નિવેદનઃ-

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આતંકવાદીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરી છે. તેમણે પોતાના સેનાપતિઓને આતંકવાદના ખતરાને ખતમ કરવા સૂચના આપી છે.

જનરલ મુનીરે તમામ કમાન્ડરોને જ્યાં સુધી અમે કાયમી શાંતિ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાના નવેસરથી નિર્ધાર સાથે ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
69SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!