30 C
Ahmedabad
Friday, March 29, 2024

પ્રયાગરાજઃઉમેશ પાલ અપહરણ કેસમાં ગેંગસ્ટર અતીક અહેમદને આજીવન કેદ


17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં  મંગળવારે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે.

જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉમેશ પાલ 2005ના રાજુપાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી છે. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!