32 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરે…બાપ…રે કેજરીવાલે સીએમના આવાસના રિનોવેશનમાં 45 કરોડ વાપરી નાંખ્યા !


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં મુખ્યમંત્રી આવાસના નવીનીકરણને લઈને વિવાદોમાં ફસાયેલા છે. ભાજપે દાવો કર્યો હતો કે કેજરીવાલે રિનોવેશનમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પણ સવાલો ઉઠાવ્યા હતો અને કહ્યું હતું કે તેમણે સરકારી ઘરની સજાવટમાં જનતાના પૈસા વેડફ્યા હતા.

અરવિંદ કેજરીવાલ સવાલોના વર્તુળમાં છે, કદાચ તેથી જ તેઓ ચૂપ છે. રામલીલા મેદાનથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નીકળેલા પાર્ટીના શબ્દો અને વલણ સત્તા પર પહોંચતા જ બદલાઈ ગયા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમણે રામલીલા મેદાનમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો શીલા દીક્ષિત જેવો ભવ્ય બંગલો નહીં લઈએ, અમે બે રૂમના મકાનમાં રહીશું. પરંતુ હવે દિલ્હીના સીએમએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનની સજાવટ પાછળ 1-2 કરોડ નહીં પરંતુ 45 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!