28 C
Ahmedabad
Saturday, April 20, 2024

મણિપુરમાં ક્યારે અટકશે હિંસા, મેતઈ અને કુકી સમુદાય વચ્ચે બબાલ, હજુ પણ ચિંતાજનક સ્થિતિ


મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કેટલાક વિસ્તારોમાં હજુ પણ અથડામણ જોવા મળી રહી છે. રવિવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવે ગૃહમંત્રી અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યા છે. તેમણે મણિપુરના સરહદી શહેર મોરેહની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.

મુલાકાતના ત્રીજા દિવસે, શાહ કુકી સમુદાયના પ્રતિનિધિમંડળ અને અન્ય સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી ટીમને પણ મળ્યા હતા. તેમણે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની સરકારની પહેલને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. શાહે ટ્વિટ કરીને મોરેહમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શાહે મ્યાનમારની સરહદે આવેલા મોરેહ શહેરમાં સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.

અમિત શાહે મણિપુરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની સરકારની પહેલને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. ગૃહમંત્રી મણિપુરની ચાર દિવસીય મુલાકાતે છે અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મંગળવારે, Meitei અને Kuki જૂથોએ શાંતિ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે ખાતરી આપી કે તેઓ કટોકટીગ્રસ્ત રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
71SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!