29 C
Ahmedabad
Wednesday, February 12, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

શ્રીલંકાની ટીમમાં ઘાતક બોલરની એન્ટ્રી,આ ખેલાડી ભારત સામે રમશે


શ્રીલંકાએ ભારત સામેની ટી-20 શ્રેણી પહેલા ટીમમાં ફેરફાર કર્યા છે. ટીમનો ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં અસિથા ફર્નાન્ડોને તક આપવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. રાઈટ આર્મ મીડિયા ફાસ્ટ બોલર ફર્નાન્ડોએ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે તેણે શ્રીલંકા માટે 3 T20 મેચ પણ રમી છે.

ચમીરા ગયા મહિને શ્રીલંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી થયો. ચમીરાને ઈજા હોવા છતાં ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ અત્યારે તે રિકવરી મોડમાં છે. હવે ફર્નાન્ડોને તેનું સ્થાન મળી ગયું છે. ફર્નાન્ડો ભારત સામેની ટી-20 શ્રેણીમાં રમશે.

ફર્નાન્ડોએ ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે

ફર્નાન્ડોએ ત્રણેય ફોર્મેટમાં શ્રીલંકા માટે મેચ રમી છે. તેણે 2022માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ફર્નાન્ડોએ શ્રીલંકા માટે 3 ટી20 મેચ રમી છે. જેમાં 2 વિકેટ ઝડપી હતી. 7 ODI મેચમાં 5 વિકેટ લીધી છે. ફર્નાન્ડોએ 51 ડોમેસ્ટિક મેચમાં 58 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મેચમાં 8 રનમાં 6 વિકેટ લેવાનું હતું.

આ રહ્યું ભારત-શ્રીલંકા T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ –

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરીઝની ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. આ પછી બીજી મેચ 28 જુલાઈએ રમાશે. ત્રીજી મેચ 30 જુલાઈએ રમાશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચો કોલંબોમાં યોજાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,988FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!