20 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે,આંકડાઓ જાણી ચોંકી જશો !


તાજેતરમાં જ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી. અતુલ બેંગલુરુની એક કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પત્ની અને સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિને કારણે અતુલે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આપને જણાવી દઈએ કે આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષ મોદીએ લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો અને પોસ્ટ કર્યો હતો. તો આ સાથે તેણે 24 પાનાની સુસાઈડ નોટ પણ છોડી દીધી હતી.
જ્યાં તેણે પોતાની સાથે થયેલા અત્યાચાર અને માનસિક ત્રાસ અંગેની તમામ બાબતો જણાવી હતી. હાલમાં બેંગલુરુ પોલીસે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના સાસરિયાઓ સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ નોંધ્યો છે. માનસિક ત્રાસથી આપઘાત કરનાર અતુલ પહેલો પુરુષ નથી. હકીકતમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. પુરુષ આત્મહત્યા અંગે WHO અને NCRBના આંકડા તમને આશ્ચર્યચકિત કરી દેશે.

દર 5 મિનિટે એક પુરુષ આત્મહત્યા કરી રહ્યો છે

દર વર્ષે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે. સ્તન કેન્સર, એચઆઈવી અને મેલેરિયા જેવા રોગોથી એટલા બધા લોકો મૃત્યુ પામતા નથી. આત્મહત્યાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે. ભારતમાં NCRBના રિપોર્ટ અનુસાર, આત્મહત્યા કરનારા દર 100 લોકોમાંથી 70 પુરુષો છે. NCRBના ડેટા અનુસાર, ભારતમાં વર્ષ 2021માં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 1,18,989 એટલે કે 73% પુરુષો હતા. તો માત્ર 4,50,26 મહિલાઓ હતી. આ આંકડાઓ અનુસાર દર 5 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરતો હોવાનું સામે આવ્યું છે

પુરુષોની આત્મહત્યાના આંકડા તમને ચોંકાવી દેશે

NCRBના ડેટા અનુસાર, ભારતમાં આત્મહત્યાના મોટાભાગના કેસોમાં 30 થી 45 વર્ષની વયના લોકો સામેલ છે. આ પછી, 18 થી 30 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. જો કે, 45 થી 60 વર્ષની વયના લોકોમાં આ આંકડો ઓછો હતો. વર્ષ 2021ના આંકડા અનુસાર, 30 થી 45 વર્ષની વયજૂથના 5,20,54 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 78 ટકા પુરુષો હતા.
તો 18 થી 30 વર્ષની વયના 5,65,43 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 67 ટકા પુરુષો હતા. જ્યારે 45 થી 60 વર્ષની વયના 3,01,63 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 81 ટકા પુરુષોનો સમાવેશ થાય છે. 1,09,749 પરિણીત લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 74 ટકા પુરુષોનો સમાવેશ થયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!