વિશ્વ વિખ્યાત બાબા વેંગાનીએ વર્ષ 2025 માટે ખતરનાક ભવિષ્યણાવી કરી છે. પયગંબર બાબા વેંગાની ભવિષ્યવાણી કરવામાં આજકાલ ખૂબ ચર્ચામાં છે. ભૂતકાળમાં પણ તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સત્યની નજીક રહી છે. થોડા સમય પછી નવું વર્ષ આવવાનું છે. જ્યોતિષ અને નિષ્ણાતોના મતે નવું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. બાબા વેંગાનીએ પણ નવા વર્ષને લઈ કેટલીક ખાસ ભવિષ્યવાણીઓ કરી દીધી છે. ત્યારે જાણીએ બાબા વેંગનીની શું કરી છે ભવિષ્યણાવી.
વર્ષ 2025 માટે બાબા વાંગાનીની ભવિષ્યાણી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં યુરોપમાં ભીષણ યુદ્ધની સંભાવનાઓ છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી શકે છે. યુરોપમાં થઈ રહેલા સંઘર્ષની પ્રકૃતિ પર ઊંડી અસર થઈ શકે છે. ભીષણ યુદ્ધના કારણે વસ્તીમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં કેન્સરથી પીડિત લોકો પણ 2025માં વૈજ્ઞાનિકોની મદદથી આ જીવલેણ રોગમાંથી મુક્તિ મેળવી શકે છે. 2025 માં, માનવીઓ એલિયન્સની શોધમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. બાબા વેંગાનીએ એવો પણ દાવો કર્યો છે કે આગામી વર્ષમાં “વિનાશની શરૂઆત” પણ થઈ શકે છે.
બાબા વેંગાની કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી ?
1996માં તેમના મૃત્યુ પહેલા, બાબા વેંગાનીએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણીઓ કરી હતી અને અત્યાર સુધી તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે જેમ કે – તેમણે 2001 માં અમેરિકામાં 9/11ના હુમલા વિશે પહેલેથી જ કહ્યું હતું કે “હોરર, હોરર! અમેરિકન ભાઈઓ. સ્ટીલ પક્ષીઓના હુમલા પછી પડી જશે”, 1991 માં સોવિયત સંઘના વિઘટન અંગેની આગાહી પણ સાચી પડી.
બાબા વેંગાનીનીએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી છે
બાબા વેંગાનીનીએ બલ્ગેરિયન પ્રોફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમનો જન્મ 1911માં રશિયાના ઓટ્ટોમન સામ્રાજ્યમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તોફાનને કારણે તેમણે તેમની આંખોની રોશની ગુમાવી દીધી, જેના કારણે તેમને જીવનભર અંધ રહેવું પડ્યું. સમગ્ર વિશ્વમાં તેઓ એક તેજસ્વી પ્રબોધક તરીકે ઓળખાયા. બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી છે. વર્ષ 1996માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.બાબા વેંગાનીનીએ આની પહેલા પણ અનેક ભવિષ્યવાણીઓ કરી છે ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. એટલે આવનાર 2025ના વર્ષ માટે કરેલી તેમની ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે.