27 C
Ahmedabad
Thursday, March 20, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માને લઈ મોટો સમાચાર  


દુબઈમાં રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માને લઈ મોટો સમાચાર સામે આવ્યા છે.  2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ ફાઇનલ પહેલા, રોહિત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જે મેદાનમાં રોહિત ક્રિકેટ રમવાનું શીખ્યા હતો તે મેદાનમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ મોટી કાર્યવાહી કરી રહ્યું છે.

હકીકતમાં રોહિત શર્માએ બાળપણમાં મુંબઈના ગોરાઈ વિસ્તારમાં ક્રિકેટ રમવાનું શીખ્યા હતા. અહીંની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ટર્ફ બનાવવામાં આવ્યો છે. રોહિતે અંહી અભ્યાસ કર્યો હતો. રોહિત તેના શાળાના દિવસોમાં અહીં ખૂબ રમતો હતો. પરંતુ હવે આ જગ્યા તોડી પાડવામાં આવી રહી છે. રોહિતના કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા દિનેશ લાડે પણ આ મેદાન બચાવવા વિનંતી કરી હતી.

મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડની કાર્યવાહી ?

મુંબઈના ગોરાઈ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના મેદાન પર મ્હાડાએ કાર્યવાહી કરી છે. રોહિતની સાથે, ઘણા અન્ય ક્રિકેટરો અહીંથી ઉભરી આવ્યા છે. પરંતુ વહીવટીતંત્રે તેને ગેરકાયદેસર જાહેર કર્યું છે. આ એક સરકારી જમીન છે, જ્યાં વ્યાપારી કામ ચાલી રહ્યું હતું. આ મેદાન પર બાળકોને તાલીમ આપવામાં આવી રહી હતી. આરોપ છે કે રોહિતના કોચ દિનેશ લાડ ક્રિકેટ ખેલાડીઓને કોચિંગ આપવા માટે ફી લેતા હતા. આ કારણોસર વહીવટીતંત્રે કાર્યવાહી કરી છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. તે જ સમયે, તેમને 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર ભારતીય ટીમ ફાઇનલમાં છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યા બાદ હવે રવિવારે ન્યુઝીલેન્ડ સામે ભારત મેચ રમાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!