IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદારને RCBનો કેપ્ટન તરીકે નિયુક્ત કરી દીધી છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ, RCB એ સત્તાવાર રીતે પાટીદારને કેપ્ટન તરીકે જાહેર કર્યા હતો. કેપ્ટન બન્યા પછી રજત ખૂબ ખુશ દેખાતો હતો. રજત પાટીદાર કેપ્ટન બન્યા પછી, RCB એ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો, જેમાં ટીમના નવા કેપ્ટન વાત કરતા જોવા મળ્યા. પાટીદારે કહ્યું કે તેમની કેપ્ટનશીપની શૈલી થોડી અલગ છે.
નમસ્તે, હું તમારો કેપ્ટન રજત પાટીદાર છું
કેપ્ટન બન્યા બાદ રજત પાટીદારે પહેલા નિવેદન આપતા કહ્યું કે, “નમસ્તે, હું તમારો કેપ્ટન રજત પાટીદાર છું. ઘણા દિગ્ગજોએ RCBનું નેતૃત્વ કર્યું છે અને મને સન્માનની લાગણી છે કે તેમણે મને આ સિઝન માટે પસંદ કર્યો છે. મારી કેપ્ટનશીપ કરવાની રીત થોડી અલગ છે. હું વધુ શાંત છું અને હું પરિસ્થિતિને જાણું છું, શું જરૂરી છે અને શું નથી. હું વધારે વ્યક્ત કરતો નથી અને દબાણની પરિસ્થિતિઓમાં હું ગભરાતો નથી અને આ મારી તાકાત છે.”
ટીમમાં ઘણા અનુભવી ભારતીય અને વિદેશી કેપ્ટન છે. તેથી મને લાગે છે કે તેમનો ઇનપુટ મને કેપ્ટનશીપની ભૂમિકામાં મદદ કરશે. હું ખૂબ જ આભારી છું કે RCBના ચાહકોએ છેલ્લા 3-4 વર્ષમાં મારા માટે ઘણો પ્રેમ અને સમર્થન દર્શાવ્યું છે. મને લાગે છે કે હું RCB માટે રમવાનું ભાગ્યશાળી છું.” પાટીદારે આગળ કહ્યું, “મારી આ સફર ખૂબ જ સારી રહી છે, તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.
2021 એ RCB માટે મારું પહેલું વર્ષ હતું. તે સમયે મને તક મળી અને તે પછી મને મેગા ઓક્શનમાં પસંદ કરવામાં આવ્યો નહીં, તેથી હું થોડો ભાવુક હતો કે મને બીજી તક મળશે કે નહીં. પછી RCB એ મને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યો. મેં વિચાર્યું કે જો આટલું બધું થયું છે તો ભવિષ્યમાં કંઈક સારું થવાનું છે. હું ખૂબ આભારી છું કે મને બીજી તક મળી.”