34 C
Ahmedabad
Saturday, May 18, 2024

મંત્રી કુંવરજી હળપતિને આપ નેતાનો ટોણો, માંડવી 157ના “સાયરનમેન” થયા “સાઈલન્ટ”


માંડવી તાલુકામાં અપરાધીઓ કાયદાને નેવે મૂકી પત્રકારોને જાનથી મારી નાખવા હુમલાઓ કરી રહ્યા છે અને માંડવી તાલુકામાં ભૂમાફિયા અને બૂટલેગરો સાથે મળીને ડબલ એન્જિન બનીને ડબલ એન્જિનની સરકાર સામે મોટો પડકાર બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પત્રકાર પર થયેલા હુમલાની તપાસ CID crime અથવા DYSP કક્ષાના અધિકારી પાસે કરવામાં આવે એવી માંગ મુખ્યમંત્રીને લેખિતમાં કરી ચૂક્યા છે.

આ સમગ્ર બનાવ મામલે માંડવી 157 વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિ સંપૂર્ણપણે ચૂપ છે પોતાના વિસ્તારમાં વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓને રોકવાની જગ્યાએ મોઢા પર આંગળી અડફ અને પલાઠી વાળી લેતા આમ આદમી પાર્ટીના ગુજરાત જોઇન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી દ્વારા સોશિયલ મીડિયામાં કટાક્ષ કર્યો છે અને જણાવ્યું કે “સાયરન વગાડવાજ મંત્રી બન્યા છો,કે પ્રજાને ન્યાય અપાવવા મંત્રી બન્યા છો…?

આમ મંત્રી કુંવરજીભાઈ હળપતિને “સાયરનમેન  સાયલેંટ” કહેતા સોશીયલ મિડીયામાં ખૂબ ઝડપથી વાયરલ થયું હતું. સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટા મામલે લોકસમાચાર કોઈ પૂષ્ટિ કરતું નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!