રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દશેરા નિમિત્તે સુરત પોલીસ હેડ ક્વાટર્સ પહોંચ્યા હતા. અંહી તેમણે શસ્ત્રની પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે ડ્રગ્સ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, ડ્રગ્સ રૂપી રાવણ સળગાવવા માટે ગુજરાત પોલીસ વિભાગને દશેરાની રાહ નથી જોવી પડતી. અંહી તો સવાર પડે એટલે પોલીસ રાવણ પકડે છે. દેશના ઈતિહાસમાં સૌથી વધારે ગુજરાત પોલીસે ડ્રગ્સ રૂપી રાવણ પકડ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના તમામ લોકોએ કાયદામાં રહેવું પડેશે. કાયદાને તોડનાર સામે થશે કડકકાર્યવાહી કોઈપણને છોડવામાં આવશે નહી. કોઈ પણ પ્રકારના કાયદો તોડશો તો સામે કોણ છે એ નહીં જુવે દરેક પર પોલીસ કાર્યવાહી કરશે.