ભારતીય નૌસેનાની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે.. આ બધાં વચ્ચે બુધવારે ભારતીય નૌસેનાએ વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. ભારતીય નૌ સેનાએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાલઈનું સફળ પરીક્ષણ કરી લીધું છે.
બ્રહ્મોસ મિસાઈલના સફળ પરીક્ષણ મુદ્દે ભારતીય નૌસેનાએ ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી.. તેમણે જણાવ્યું કે, બ્રહ્મોસ મિસાઈલે તમામ સિદ્ધીઓ હાંસલ કરી લીધી છે. જેના કારણે બંગાળની ખાડીમાં કરવામાં આવેલા પરીક્ષણમાં બ્રહ્મોસ મિસાલઈનું પરીક્ષણ સફળ સાબિત થયું.
આવનારા સમયમાં દરિયાઈ માર્ગો પર ભારત તેની તાકાત વિશ્વ સામે મૂકી શકશે. તેમજ દરિયાઈ માર્ગે દ્વારા હુમલા કરનારા તત્વો પણ હવે થરથર કાંપી ઉઠશે કારણ કે, ભારતીય નૌસેનાની આ તાકાત દુશ્મનને નાકે દમ લાવી દેશે.