ગુજરાતમાં આજકાલ એટલી બધી નકલી વસ્તુઓ જોવા મળી રહી છે કે જેનો કોઈ તોડ નથી. આ બધાં વચ્ચે હાલ એક નકલી વસ્તુ ચારેકોર ચર્ચામાં છે. મોરબી વાંકાનેર હાઇવે પર બનાવેલું બોગસ ટોલનાકું. આ ટોલનાકાને લઈ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, નવા ખુલાસા વિશે વાત કરીએ તો આ મામલે સિટી પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીમાંથી આ ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતુ. આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું સામે આવ્યું છે. જેથી જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં જેરામ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, ‘આ બંધ ફેક્ટરી અમારા પરિવારની છે અને અમે તેને ભાડા કરાર કરીને ભાડે આપેલી છે. ભાડે આપ્યા બાદ તેમણે ત્યાં શું કર્યુ હોય તે અમને ખબર નથી.