28 C
Ahmedabad
Friday, April 26, 2024

હત્યા કરતા પહેલા ગૂગલ પર સર્ચ કર્યું, સ્વર્ગમાં જઈશ કે નરકમાં,પછી લીધા પાંચ લોકોના જીવ


જોધપુરમાં રહેતા ખેડૂત શંકર લાલની આ કહાની દિલને હચ મચાવી નાખે તેવી છે. ત્રણ નવેમ્બરે પોતાના માતા-પિતા અને બે પુત્રોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. શંકરલાલ સપ્ટેમ્બરથી પ્લાન કરી રહ્યો હતો કે પોતાના પરિવારને કેવી રીતે મારવો ? શંકરલાલના મોબાઈલની હિસ્ટ્રી સર્ચ કરી તો ભલ ભલા ચોંકી ગયા. હત્યા અને તેની પદ્ધતિઓ સિવાય પણ એવી ઘણી બધી શોધખોળો તેણે ગુગલ પર સર્ચ કરી હતી. જેનાથી પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ શંકરલાલ અફીણનો નશો કરતો. શંકરલાલની તેની પત્ની સાથે પણ અણબનાવ થયો હતો. કારણ કે તે વારંવાર દરમિયાનગીરી કરતી હતી. તેણીએ કહ્યું હતું કે તે અલગ રહેવા માંગે છે. અફીણના નશાના આ ક્રેઝને કારણે તેણે સપ્ટેમ્બરથી જ હત્યાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું. તેણે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયાની ક્રાઈમ સિરીઝ જોવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુગલ પર તેણે હત્યા, ઊંઘની ગોળીઓ અને ઝેરના પ્લાનિંગને લઈને ઘણું બધું સર્ચ કર્યું. આ પછી, 3 નવેમ્બરના ગુરુવારે, માતાપિતા અને તેમના બે પુત્રોની હત્યા કરવામાં આવી હતી. શંકરલાલે પરિવારને મારી નાખવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. ઊંઘની ગોળીઓ કેવી રીતે આપવી અને ક્યારે ઝેર આપવું. પ્લાનિંગ કરતી વખતે શંકરલાલે શોધી કાઢ્યું હતું કે ઊંઘની શ્રેષ્ઠ ગોળી કઈ છે.

યુવાનોની લોહિયાળ રમત:-

શંકરલાલે 14 સપ્ટેમ્બરથી ક્રાઈમ સીરિઝ જોવાની શરૂઆત કરી. પહેલા શંકરલાલે ક્રાઈમ પેટ્રોલની કેટલીક શ્રેણીઓ જોઈ. આ પછી તેણે પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું. દિવસ શરૂ થતાં જ તે મેદાનમાં જઈને આ સિરીઝ જોતો. ત્યારપછી આ સીરીઝમાંથી હત્યા કરવાનો આઈડિયા લેતો. ત્યાર બાદ તે પોતાની યોજનાને આગળ વધારતો રહ્યો. પાણીની ટાંકીમાં ઝેર ભેળવવું અને ઊંઘની ગોળીઓ આપવી એ આ યોજનાનો એક ભાગ હતો.

પત્નીને મારવા માંગતો ન હતો:-

ઘણા દિવસોથી શંકર અને તેની પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. પરંતુ તેમ છતાં તે તેની પત્નીને મારવા માંગતો ન હતો. તે જાણતો હતો કે તેણે તેની પત્નીની હત્યા ન કરવી જોઈએ અને બાકીના પરિવારની હત્યા કર્યા પછી તેણે પોતાનો જીવ પણ લેવો જોઈએ. હવે તેને ચિંતા હતી કે તેના મૃત્યુ પછી તેની પત્ની કેવી રીતે સંભાળશે. જેના માટે તેણે પતિના અવસાન બાદ વિધવાઓ માટે ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી પણ એકઠી કરવાનું શરૂ કર્યું. આ સાથે પરિવારના મૃત્યુ પછી સરકાર શું આર્થિક સહાય આપે છે તે પણ શોધ્યું. તેમના મૃત્યુ પછી પત્નીને વિધવા પેન્શન યોજના હેઠળ કેટલા પૈસા મળશે તેની પણ માહિતી એકઠી કરી.

હત્યાના બે દિવસ પહેલા ઊંઘની ગોળીઓ આપી:-

આરોપી શંકરલાલે ઘરના તમામ લોકોને ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. શંકરલાલે પરિવારના સભ્યોને કહ્યું હતું કે ખેતરમાં કામ કરીને બધા થાકી જાય છે. આ ગોળીઓ ખાવાથી તેમની શક્તિ વધુ વધશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકરલાલે ઘરમાં બનેલી ટાંકીમાં ઝેર પણ ભેળવી દીધું હતું જેથી તે પોતે પણ બચી ન શક્યા.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!