નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન, ટોક્સિક્સ લિંક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેનિટરી પેડને લઈ ચૌંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતમાં વેચાતા સેનિટરી નેપકિન્સની મોટાભાગની લોકપ્રિય બ્રાન્ડ્સમાં હાનિકારક રસાયણો મળી આવ્યા છે. 21 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સેનિટરી નેપકિન્સમાં પ્લાસ્ટિસાઇઝર્સ રસાયણો હોય છે. જેનો ઉપયોગ નરમ, લવચીક બનાવવા અને સપાટી પરના ઘર્ષણને ઘટાડવા માટે થાય છે.
સંશોધકોએ બજારમાં ઉપલબ્ધ 10 વિવિધ પ્રકારના સેનિટરી પેડ્સ-ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકનું પરીક્ષણ કર્યું. તેઓએ રિપોર્ટમાં આ દરેક ઉત્પાદનો માટે phthalates અને VOCsનો જથ્થો અલગથી કર્યો છે. અહેવાલમાં જણાવામાં આવે છે કે ભારતમાં સૌથી વધુ વેચાતા સેનિટરી પેડ્સમાંથી છ પ્રકારના phthalates છે. ફેથલેટ્સની કુલ માત્રા 10 થી 19,600 માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ સુધીની છે, અને આ ઉત્પાદનોમાં કુલ 12 વિવિધ પ્રકારના phthalates મળી આવ્યા છે. વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસોમાં સેનિટરી પેડ્સમાં સ્વાસ્થ્ય માટે જોખમો દર્શાવવામાં આવ્યા છે જે phthalates પેદા કરી શકે છે. આમાં એન્ડોમેટ્રિઓસિસ, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ, ગર્ભના વિકાસની સમસ્યાઓ, ઇન્સ્યુલિન પ્રતિકાર, હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે.