ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં પોલીસે એક દર્દનાક હત્યા કેસનો ખુલાસો કર્યો છે. આ કેસ હવે પોલીસ વિભાગના તાલીમાર્થી અધિકારીઓ માટે અભ્યાસનો વિષય બનશે. હત્યાકાંડનો કેસ સ્ટડી પોલીસ ટ્રેનિંગ સેન્ટર મુરાદાબાદમાં મોકલવામાં આવશે. આ કેસમાં મહત્વની વાત એ હતી કે પોલીસના હાથમાં જે કોન્ડોમનું પેકેટ મળ્યું હતું તે ચોક્કસ બ્રાન્ડનું હતું. જેના કારણે પોલીસ હત્યારા સુધી પહોંચી હતી.
11 જૂનના રોજ, જિલ્લાના બેવાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ શાળામાંથી 90 ટકા બળી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘણી કોશિશ કરી પણ તેની ઓળખ થઈ શકી નહીં. જો કે, મૃતદેહ પાસે કોન્ડોમનું પેકેટ મળી આવ્યું હતું. જેના કારણે સમગ્ર હત્યા કેસનો પર્દાફાશ થયો હતો. આ પછી પોલીસે હત્યાના આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દીધો હતો. પોલીસનું કહેવું છે કે પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરવામાં આવી છે.