સુરતની એક સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે એક વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો હતો. સ્કૂલ પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનું નામ રિદ્ધિ છે. આ ઘટના બાદ શાળામાં સન્નાટો છવાઈ ગયો છે. વિદ્યાર્થીના મોતથી શાળાના શિક્ષક સહિત વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડ્યા છે.
જે શાળામાં આ ઘટના બની હતી તેનું નામ ગીતાંજલિ સ્કૂલ છે. આ સ્કૂલ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી છે. આ સ્કૂલમાં સાંઈબાબા સોસાયટીમાં રહેતા સાડીના વેપારી મુકેશ ભાઈ મેવાડાની દીકરી રિદ્ધિ ભણવા આવતી હતી. તે ધોરણ 8ની વિદ્યાર્થિની હતી. આ ઘટના બુધવારે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બધા બાળકો ક્લાસમાં ભણતા હતા, ત્યારે જ વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી.