30 C
Ahmedabad
Monday, April 29, 2024

છત્તીસગઢના સીએમ તરીકે વિષ્ણુ દેવ સાંઈએ લીધા શપથ


વિષ્ણુ દેવ સાંઈએ બુધવારે છત્તીસગઢના નવા સીએમ તરીકે શપથ લીધા. સાંઈ રાજ્યના ચોથા મુખ્યમંત્રી હશે. આ પહેલા અજીત જોગી, રમણ સિંહ અને ભૂપેશ બઘેલ આ પદ પર રહી ચૂક્યા છે. ટર્મ પર નજર કરીએ તો સાઈ છઠ્ઠી વિધાનસભામાં સીએમ બન્યા છે. 3 ડિસેમ્બરે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપ પાંચ વર્ષ પછી સત્તામાં પાછો ફર્યો. 10 ડિસેમ્બરે ભાજપે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. રાજધાની રાયપુરની સાયન્સ કોલેજમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ પ્રકાશ માથુર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યના સહ-પ્રભારી નીતિન નબીન પણ શપથગ્રહણમાં ભાગ લીધો હતો.

અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

વિષ્ણુ દેવ સાંઈએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને માળા ચઢાવી હતી. સાઈએ ટ્વિટ કર્યું, “છત્તીસગઢ રાજ્યના સર્જક અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત, અટલ બિહારી વાજપેયીજીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભાજપ સરકારે જે ધ્યેય સાથે છત્તીસગઢ રાજ્યનું નિર્માણ કર્યું છે તેને સતત આગળ વધારવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ.

શપથ લેતા પહેલા માતાના આશીર્વાદ લીધા

શપથ લેતા પહેલા તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને છત્તીસગઢની સેવા કરવા તેમના આશીર્વાદ લીધા હતા. માતા મારા પ્રેરણા સ્ત્રોત છે, તેમણે હંમેશા મને જનસેવા માટે પ્રેરણા આપી છે.” માતા જસમણી દેવીએ આરતી કરી જ્યારે પત્ની કૌશલ્યા દેવીએ મીઠાઈ ખવડાવી અને તેમના પતિને શપથવિધિ માટે વિદાય આપી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!