ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશ પટેલ અને મહામંત્રી હિરેન હિરપરા, સરદાર ચૌધરી,ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગર કિસાન મોરચાના અધ્યક્ષ ઘનશ્યામ સોનાણીની આગેવાનીમાં ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા “નમો અંત્યોદય સંપર્ક અભિયાન” ગઢેચી વડલા,ભાવનગરમાં જમીન વિહોણા અને અસંગઠિત કર્મયોગીઓને પત્રિકા વિતરણ કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપી તેમની સાથે સંવાદ કર્યો હતો.
ભાવનગર મહાનગર કિસાન મોરચાના મહામંત્રી હરેશ વાળા, પથુભા રાણા,કુંભારવાડા વોર્ડના પ્રમુખ લાલભા વાળા, આ કાર્યક્રમના ભાવનગર પશ્ચિમના ઇન્ચાર્જ હર્ષદ સોલંકી, પૃથ્વીરાજસિંહ ગોહિલ, નીતિનભાઈ ભટ્ટ, રમેશભાઈ મજેઠીયા, અલ્પેશભાઈ ત્રિવેદી, ગીરીરાજસિંહ પરમાર તેમજ વોર્ડના પ્રમુખ, મહામંત્રીશ્રીઓએ વોર્ડની ટીમ સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો