વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.. આ દરમ્યાન તેમણે વિવિધ વિકાસકાર્યાની ભેટ ગુજરાત અને દેશને આપી હતી…જેમાં ખાસ કરીને પીએમ મોદીએ 85 હજારથી વધારે રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.. જ્યારે બીજી તરફ અમદાવાદ શહેરનાની શાન ગણાતી સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાનું છે. જેને લઈ વડા પ્રધાન મોદીએ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, બાદમાં તેનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે.
માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભાવિ પેઢી સાબરમતી આશ્રમને જોઈ શકે તેના માટે વિકાસ કરવામાં આવશે.