32 C
Ahmedabad
Tuesday, April 30, 2024

ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરની કોર્ટ રૂમમાં હત્યા…વકીલના વેશમાં આવ્યો હતો હત્યારો


ઉત્તર પ્રદેશમાં વધુ ગેંગસ્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. અતીક અહેમદની હત્યા બાદ લખનઉની કેસરબાગ પોક્સો કોર્ટ ગેટ બહાર વકીલના ડ્રેસમાં આવેલા યુવકે ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાની હત્યા કરી દીધી છે. હત્યાની ઘટનાથી દેશમાં કથળતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરફ ઈશારો કરે છે.

સંજીવ મહેશ્વરી ગેંગસ્ટર મુખ્તાર અંસારીની નજીકનો હોવાનું માનવામાં આવે છે. સંજીવ મહેશ્વરીને પોલીસે AK-47 અને 1300 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. આ ગેંગસ્ટરનું પશ્ચિમ યુપીમાં અતીક અહેમદ જેવું નામ હતું. સંજીવ જીવા પર એવા લોકોની હત્યા કરવાનો આરોપ છે, જેમણે ક્યારેક માયાવતીની ગેસ્ટ હાઉસ કાંડમાં જીવ બચાવ્યો હતો.

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે મુખ્તાર અંસારી, અફઝલ અંસારી અને જીવા સહિત સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. 29મી નવેમ્બર 2005ના રોજ ગાઝીપુરમાં કૃષ્ણામંદ રાયની હત્યા કરી હતી.

કોણ છે સંજીવ જીવા મહેશ્વરીઃ-

સંજીવ મહેશ્વરી જીવા શામલી જિલ્લાનો રહેવાસી

90ના દાયકાથી ગુનાખોરીની દુનિયામાં છવાયેલો

મુખ્તાર અંસારીની નજીકનો હોવાનું કહેવાયા છે

1997માં ભાજપના વરિષ્ઠ નેતા બ્રહ્મ દત્તની હત્યા કરી

મુઝફ્ફરનગરમાં લગભગ 4 કરોડની સંપત્તિ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!