34 C
Ahmedabad
Monday, May 6, 2024

સંઘ પરિવારના એજન્ડાએ મણિપુરને રમખાણોનું ક્ષેત્ર બનાવ્યું: કેરળ સીએમ


કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા ભાજપ-આરએસએસ પર નિશાન સાધ્યું  છે. તેમણે શનિવારે કહ્યું કે દેશના બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક સમાજને સમજવું જોઈએ કે સંઘ પરિવારના એજન્ડાએ મણિપુરને રમખાણોના ક્ષેત્રમાં ફેરવી દીધું છે. સંઘ પરિવાર મણિપુરમાં નફરતના બીજ વાવી રહ્યો છે. પી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે રમખાણોની આડમાં જે થઈ રહ્યું છે તે ખ્રિસ્તીઓ પર હુમલો છે. ખ્રિસ્તી આદિવાસી જૂથોના ચર્ચો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સંઘ પરિવારે રાજકીય લાભ માટે મણિપુરને રમખાણોના ક્ષેત્રમાં ફેરવી દીધું છે.

કેરળના મુખ્યમંત્રીનો ભાજપ પર પ્રહારઃ-

મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુરમાંથી દરરોજ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. મણિપુરમાંથી વારંવાર એવી ભયાનક તસવીરો સામે આવી રહી છે જે માનવીના અંતરાત્માને ઠેસ પહોંચાડે છે. હિંસાના શરૂઆતના દિવસોના વિઝ્યુઅલ હવે સામે આવ્યા છે. કુકી સમાજની મહિલાઓ હિંસક ટોળા દ્વારા અત્યંત જઘન્ય અને ક્રૂર રીતે ભોગ બની છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જેઓ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જવાબદાર છે તેઓ હિંસાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર મૌન છે. લોકશાહીમાં માનનારા તમામની જવાબદારી છે કે સાંપ્રદાયિક ધ્રુવીકરણ સામેના દરેક પ્રયાસને પરાસ્ત કરવો જોઈએ.

મણિપુરમાં મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવામાં આવી હતીઃ-

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામાની માંગણીને લઈને વિરોધ પક્ષોએ ભાજપને ઘેર્યો છે. મણિપુરમાં 3 મૈતઈ સમુદાય અને કુકી વચ્ચે વંશીય અથડામણ ચાલી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!